For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નિદ્રાધીન 4 વર્ષના માસૂમને ઝેરી જનાવરે ડંખ મારતા મોત

12:16 PM Jun 28, 2024 IST | admin
નિદ્રાધીન 4 વર્ષના માસૂમને ઝેરી જનાવરે ડંખ મારતા મોત

થાનના ગુગલીયાણા ગામે બે દિવસ પૂર્વે નિંદ્રાધીન ચાર વર્ષના માસુમને ઝેરી જનાવરે ડંખ મારતા માસુમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન માસુમનું મોત નિપજતા પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ થાનના ગુગલીયાણા ગામે રહેતા પરિવારનો સહદેવ ભુરાભાઈ સાસલા નામનો ચાર વર્ષનો માસુમ બાળક બે દિવસ પૂર્વે રાત્રીના તેના પિતા ભુરાભાઈ સાસલા સાથે સૂતો હતો ત્યારે નિંદ્રાધીન માસુમને ઝેરી જનાવરે ડંખ માર્યો હતો. માસુમ બાળકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ચોટીલા ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં આરેરાટી સાથે ગંદગીની છવાઈ જવા પામી છે. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરતા થાન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછ મૃતક સહદેવ સાસલા બે ભાઈમાં મોટો હતો અને તેના પિતા સાથે સૂતો હતો ત્યારે ઝેરી જનાવરે દાખ મારતા ઝેરી અસર થતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થાન પોલોસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement