For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દરેડમાં પરપ્રાંતીય પરિવારના નવ વર્ષના બાળકનો ગળાફાંસો ખાઈ આપઘાત

01:18 PM Jun 26, 2024 IST | Bhumika
દરેડમાં પરપ્રાંતીય પરિવારના નવ વર્ષના બાળકનો ગળાફાંસો ખાઈ આપઘાત
Advertisement

જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા મધ્યપ્રદેશના વતની પરપ્રાંતીય પરિવાર ના નવ વર્ષના બાળકે આજે સાંજે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે અરેરાટી ફેલાઈ છે. માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ઉશ્કેરાયેલા બાળકે ગળાફાંસા દ્વારા પોતાનો જીવ દીધો હતો.

આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગર નજીક દરેડમાં રહેતા અને મજૂરી કામ કરતા કોમલ કુમાર જાટવ નામના પરપ્રાંતીય શ્રમિકનો નવ વર્ષનો પુત્ર લકકી કે જેણે આજે સાંજે પોતાના ઘેર ગળાફાંસા દવારા આપઘાત નો પ્રયાસ કરતાં બાળકને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

Advertisement

મૃતક બાળક કે જેના પિતા મધ્ય પ્રદેશ માં વતનમાં ગયા છે, જયારે તેની માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ઉસકેરાટમાં આવીજઇ બાળકે ગળાફાંસો ખાઈ લીધો હતો.પરપ્રાંતિય શ્રમિક પરિવારને સંતાનોમાં એક બાળકી અને એક બાબો હતા, જે પૈકીના પુત્ર એ ગળાફાંસો ખાઈ લેતાં પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement