For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીની પેપર મિલમાં લાગેલી આગ બુઝાવવા રાજકોટ-ધ્રાંગધ્રાથી ફાયર ટીમ આવી

12:07 PM Jun 06, 2024 IST | Bhumika
મોરબીની પેપર મિલમાં લાગેલી આગ બુઝાવવા રાજકોટ ધ્રાંગધ્રાથી ફાયર ટીમ આવી
Advertisement

મોરબીના ખોખરા હનુમાનજી મંદિર નજીક આવેલ પેપરમિલમાં બપોરના સુમારે ભીષણ આગ ફાટી નીકળી હતી જેથી મોરબી-હળવદની ફાયર ટીમો દોડી ગઈ હતી ઉપરાંત રાજકોટ અને ધ્રાંગધ્રાથી ફાયર ટીમની મદદ લેવામાં આવી હતી અને પાંચ ટીમો આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવી રહી છે.

ખોખરા હનુમાન જવાના રસ્તે આવેલ એલીક્સ પેપરમિલના ગ્રાઉન્ડમાં પડેલ રો મટીરીયલ્સના જથ્થામાં બપોરે ત્રણ વાગ્યા આસપાસ કોઈ કારણોસર આગ લાગી હતી જે બનાવની જાણ થતા મોરબી ફાયરની 2 ટીમ દોડી ગઈ હતી તેમજ હળવદ ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી હતી જોકે આગ વધુ હોય જેથી રાજકોટ અને ધ્રાંગધ્રાથી ફાયર ટીમની મદદ લેવામાં આવી હતી અને કુલ પાંચ ટીમો પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે.

Advertisement

જે બનાવ મામલે ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી તો આગ વધુ છે જેથી મોરબી,હળવદ, ધ્રાંગધ્રા અને રાજકોટની 5 ટીમો કાબુ મેળવવા મથામણ કરી રહી છે અને મોડી રાત્રી સુધીમાં આગ પર કાબુ મેળવી લેવાય તેમ જણાવ્યું હતું

Advertisement
Tags :
Advertisement
Advertisement