મોરબીની પેપર મિલમાં લાગેલી આગ બુઝાવવા રાજકોટ-ધ્રાંગધ્રાથી ફાયર ટીમ આવી
મોરબીના ખોખરા હનુમાનજી મંદિર નજીક આવેલ પેપરમિલમાં બપોરના સુમારે ભીષણ આગ ફાટી નીકળી હતી જેથી મોરબી-હળવદની ફાયર ટીમો દોડી ગઈ હતી ઉપરાંત રાજકોટ અને ધ્રાંગધ્રાથી ફાયર ટીમની મદદ લેવામાં આવી હતી અને પાંચ ટીમો આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવી રહી છે.
ખોખરા હનુમાન જવાના રસ્તે આવેલ એલીક્સ પેપરમિલના ગ્રાઉન્ડમાં પડેલ રો મટીરીયલ્સના જથ્થામાં બપોરે ત્રણ વાગ્યા આસપાસ કોઈ કારણોસર આગ લાગી હતી જે બનાવની જાણ થતા મોરબી ફાયરની 2 ટીમ દોડી ગઈ હતી તેમજ હળવદ ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી હતી જોકે આગ વધુ હોય જેથી રાજકોટ અને ધ્રાંગધ્રાથી ફાયર ટીમની મદદ લેવામાં આવી હતી અને કુલ પાંચ ટીમો પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે.
જે બનાવ મામલે ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી તો આગ વધુ છે જેથી મોરબી,હળવદ, ધ્રાંગધ્રા અને રાજકોટની 5 ટીમો કાબુ મેળવવા મથામણ કરી રહી છે અને મોડી રાત્રી સુધીમાં આગ પર કાબુ મેળવી લેવાય તેમ જણાવ્યું હતું