For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દારૂડિયા પિતાએ ત્રણ વર્ષના માસૂમ પુત્રને છરીના કુંદા માર્યા

05:53 PM Jul 02, 2024 IST | Bhumika
દારૂડિયા પિતાએ ત્રણ વર્ષના માસૂમ પુત્રને છરીના કુંદા માર્યા
oplus_32
Advertisement

રિસામણે બેઠેલી પત્નીની દાઝ પુત્ર ઉપર ઉતારી

શહેરમાં કુબલીયાપરા વિસ્તારમાં રહેતા દંપતિ વચ્ચે ઝઘડો થતા પરિણીતા થોરાળા વિસ્તારમાં રહેતા માવતરે સંતાનો સાથે રિસામણે ચાલી ગઈ હતી. મોસાળમાં રહેલા બાળકોને તેડવા ગયેલા પિતાએ દારૂૂના નશામાં ત્રણ વર્ષના પુત્રને છરીના ઊંધા ઘા ઝીંકી દીધા હતા. માસુમ બાળકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કુબલીયાપરા વિસ્તારમાં રહેતા શિવમ વિજયભાઈ પરમાર નામનો ત્રણ વર્ષનો માસૂમ થોરાળા મેઈન રોડ ઉપર કસ્તુરબા હરિજનવાસમાં તેના મામા પ્રવીણભાઈ સોલંકીના ઘરે હતો ત્યારે તેના પિતા વિજય પરમારે છરીના હાથા વડે માર માર્યો હતો. માસુમ બાળકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે થોરાળા પોલીસને જાણ થતા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત શિવમ પરમારની માતા કિરણબેન અને તેના પિતા રાજેશભાઈ પરમાર વચ્ચે ઝઘડો થતા કિરણબેન શિવમ અને બે પુત્રી સાથે થોરાળામાં રહેતા ભાઈ પ્રવીણ સોલંકીના ઘરે રિસામણે ચાલી ગઈ હતી બાદ રાત્રીના રાજેશ પરમાર દારૂૂના નશામાં સંતાનોના તેડવા માટે ગયો હતો ત્યારે કિરણબેન બંને પુત્રીને લઈને રૂૂમમાં સંતાઈ ગઈ હતી ત્યારે રાજેશ પરમારે પુત્ર શિવમ પરમારને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપના પગલે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement