For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ

01:07 PM Jun 17, 2024 IST | Bhumika
ખંભાળિયામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ
Advertisement

    ખંભાળિયામાં જિલ્લા કલેકટર  કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અહીંના ધારાસભ્ય અને પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અધ્યક્ષ સ્થાને રહ્યા હતા.    આ બેઠકમાં કેબિનેટ મંત્રીએ જિલ્લાના સિંચાઈ, પાણી પુરવઠો, વીજ વિભાગ, માર્ગ અને મકાન સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોની ચર્ચા કરી, જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ ઉપરાંત જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.    મંત્રી મુળુભાઈએ જનહિત લક્ષી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે તેવા સુચનો કર્યા હતા. આ ઉપરાંત તેમણે અરજદારોના પ્રશ્નોનો તાત્કાલિક નિવારણ લાવવા સૂચના આપી હતી.    સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, ડીવાયએસપી એમ.એમ. પરમાર સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Tags :
Advertisement
Advertisement