વંદેભારત ટ્રેનમાં મુસાફરને અપાયેલ ભોજનમાં વંદો નીકળ્યો
રેલમંત્રી સુધી ફરિયાદ, ફૂડ પ્રોવાઇડરને ફટકારાયો દંડ
ભોપાલથી આગ્રા જઈ રહેલા વંદે ભારત ટ્રેનના મુસાફરે ભોજન અંગે ફરિયાદ નોંધાવતા હોબાળો મચ્યો છે. મુસાફરનો આરોપ છે કે તેને ટ્રેનના ફૂડમાં મૃત વંદો મળ્યો છે. તેણે આ ઘટનાને સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે અને રેલ્વેમાં ફરિયાદ કરી છે. તમે વાયરલ થઇ રહેલા ફોટોઝમાં મરેલો વંદો જોઈ શકો છો.
મુસાફરે આ તસવીર શેર કરી અને પોતાની નિરાશા વ્યક્ત કરતા કહ્યું, આજે 18-06-24 ના રોજ મારા કાકા અને કાકીને વંદે ભારત દ્વારા મુસાફરી કરતી વખતે ઈંછઈઝઈ દ્વારા પીરસવામાં આવતા ભોજનમાં વંદો જોવા મળ્યો. કૃપા કરીને વેચનાર સામે તાત્કાલિક પગલાં લો. ખાતરી કરો કે આવી ઘટનાઓ ફરીથી ન બંને. આ પોસ્ટ વાયરલ થયા બાદ ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનએ ફૂડ પ્રોવાઇડર પર દંડ ફટકાર્યો છે. આ પોસ્ટ પછી ભારતીય ટ્રેનોમાં સ્વચ્છતા અને વ્યવસ્થાપન વિરુદ્ધ લોકો તરફથી આકરી પ્રતિક્રિયા આવી હતી. ઘણા યુઝર્સે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને સોશિયલ મીડિયા પર ટેગ કર્યા અને સ્પષ્ટતાની માંગ કરી.