For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છના રણથી રાજસ્થાનના બાડમેર સુધી બનશે 490 કિ.મી.નો જળમાર્ગ

04:33 PM May 18, 2024 IST | Bhumika
કચ્છના રણથી રાજસ્થાનના બાડમેર સુધી બનશે 490 કિ મી નો જળમાર્ગ
Advertisement

લાલ સમુદ્રનો વિકલ્પ બનશે, મુંદ્રાથી આરબ-ઇઝરાયલ જવાનું સરળ બનશે, કેન્દ્રની સૂચના બાદ રાજસ્થાન સરકારે કાર્યવાહી શરૂ કરી

ગુજરાતના કચ્છના રણથી રાજસ્થાનના બાડમેર સુધીના 490 કી.મી.નો જળમાર્ગ બનાવવાની રાજસ્થાન સરકારની વિચારણાથી ગુજરાતના આરબ-ઇઝરાયલ સાથે વ્યાપારના નવા દ્વાર ખુલશે અને લાલ સમુદ્રનો સબબ વિકલ્પ પણ મળશે.

Advertisement

કચ્છના બખાસરથી રણ સુધીનો જળ માર્ગ પહેલ રાજ્યને ગુજરાતના મુન્દ્રા વાયા આરબ-ઇઝરાયેલ સાથે જોડશે. લાલ સમુદ્રનો વિકલ્પ બની રહેલ મુન્દ્રા ઈઝરાયેલ માટે સરળ દરિયાઈ માર્ગ છે.

ગુજરાતના કચ્છના રણથી બાડમેરના બખાસર સુધીના 490 કિલોમીટરના જળમાર્ગ અંગે રાજ્ય સરકારની પહેલથી રાજસ્થાનમાં દરિયાઈ માર્ગે આયાત માટે નવો દરવાજો ખૂલવાનો સંકેત મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલના પરિવહન મંત્રી મીરી રેગવેએ ફેબ્રુઆરી મહિનામાં એક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં મુદ્રા બંદરથી યુનાઈટેડ આરબ અમીરાતના બંદરથી ઈઝરાયેલ સુધી માલસામાનની અવરજવરને લાલ સમુદ્રનો વિકલ્પ ગણવામાં આવ્યો હતો. ત્યારબાદ આ વાત પર ભાર મૂક્યો હતો કે જો બખાસરની તરફેણ કરવામાં આવે તો રાજ્ય માટે એક મોટો આર્થિક કોરિડોર બનાવી શકાય છે.

બાડમેરમાં તેલ, ગેસ, કોલસો અને ખનિજોનો પુષ્કળ ભંડાર છે. માત્ર તેલમાંથી જ રાજ્યને દરરોજ આશરે રૂૂ. 10 કરોડની આવક થઈ રહી છે.જો બાડમેર ગુજરાત અને અરેબિયા થઈને ડ્રાય પોર્ટ દ્વારા ઈઝરાયેલ સાથે સીધું જોડાયેલું હશે તો તે રાજ્ય માટે આયાત-નિકાસનું મુખ્ય કેન્દ્ર બનશે.

પાંચ વર્ષમાં આ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો હતો. ડ્રાય પોર્ટને બિનઆર્થિક જાહેર કરવા છતાં તેની હિમાયત કરી અને તે આર્થિક હોવાના પુરાવા પણ રજૂ કર્યા. અંતે તાજેતરમાં એક સમિતિની રચના કરવામાં આવી છે જે કચ્છના રણથી બખાસર સુધીના જળમાર્ગનું કામ કરશે. 490 કિમી પાણીનો માર્ગ બનાવવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારની સૂચના પર રાજ્યએ આ સમિતિની રચના કરી છે.

24 વર્ષ પહેલાનું સ્વપ્ન
24 વર્ષ પહેલા ગુજરાતમાં બાડમેરના બખાસરથી મુંદ્રા સુધી 150 કિમીની કૃત્રિમ કેનાલ બનાવવાની યોજના બનાવવામાં આવી હતી. અહીં ડ્રાય પોર્ટ વિકસાવવાનો અને તેને કચ્છના રણ સાથે જોડીને દરિયામાંથી આયાત માટે નવું બંદર બનાવવાનો વિચાર હતો. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ પણ આ સ્કીમમાં રસ લીધો હતો પરંતુ હજુ સુધી આ સ્કીમ શરૂૂ થઈ નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement