સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

ભાણવડની 15 વર્ષીય તરુણીએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લેતા અરેરાટી

11:14 AM Apr 15, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના વધતા જતા બનાવોએ ચિંતાનો માહોલ પ્રસરાવી દીધો છે. ખંભાળિયામાં થોડા દિવસો પૂર્વે 13 વર્ષીય વિદ્યાર્થીની તરુણીના આપઘાત બાદ શનિવારે 15 વર્ષની વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાબેના પાસ્તરડી ગામે રહેતા રૂડાભાઈ જેઠાભાઈ કોડીયાતર નામના 40 વર્ષના રબારી યુવાનની 15 વર્ષની તરુણ પુત્રી સેજલ ભાણવડથી આશરે પાંચ કિલોમીટર દૂર શિવકૃપા હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતી હતી. નવમા ધોરણમાં અભ્યાસ કરતી સેજલબેન કોડીયાતરએ શનિવાર તા. 13 ના રોજ સવારના સમયે હોસ્ટેલના રૂમમાં પંખામાં ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ સાંપળ્યો હતો.
આ અંગેની જાણ મૃતકના પિતા રૂડાભાઈ કોડીયાતરએ ભાણવડ પોલીસને જાણ કરતા પોલીસે વિદ્યાર્થીની સેજલબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા સહિતની કાર્યવાહી કરી, આગળની તપાસ હાથ ધરી છે.

આપઘાતનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. વધુમાં આપઘાત પહેલા સેજલબેન સ્યુસાઈડ નોટ પણ લખી હોવાનું કહેવાય છે. આ બનાવે મૃતક તરુણીના પરિવારજનોમાં ઘેરા શોક સાથે સમગ્ર પંથકમાં ચિંતા સાથે ચકચાર પ્રસરાવી છે.

_________________________

દ્વારકામાં ભિક્ષુક આધેડનું મૃત્યુ

દ્વારકામાં રૂક્ષ્મણી ગેઈટ પાસે રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતા હમીરભાઈ બાલુભાઈ વાઘેલા નામના 55 વર્ષના દેવીપુજક આધેડનું કોઈ અકળ કારણોસર મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પત્નિ રાજુબેન હમીરભાઈ વાઘેલાએ દ્વારકા પોલીસને કરી છે.

_________________________

ખંભાળિયા નજીક મોટરકારની એસટી બસ સાથે ટક્કર: નુકસાની

ખંભાળિયા - જામનગર હાઈવે પર અત્રેથી આશરે ત્રણ કિલોમીટર દૂર એક હોટલ પાસે જી.જે. 18 ઝેડ.ટી. 1389 નંબરની એસ.ટી. બસ લઈને આવી રહેલા હમીરભાઈ મુમાભાઈ ગોયલ (ઉ.વ. 40, રહે. થાનગઢ, જી. સુરેન્દ્રનગર)ની બસ સાથે પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 12 બી.એફ. 1053 નંબરની એક મોટરકારના ચાલકે અકસ્માત સર્જતા બસના બમ્પર તેમજ કેમેરાને નુકસાની થવા પામી હતી. જે અંગે ખંભાળિયા પોલીસે બસના ચાલક હમીરભાઈ ગોયલની ફરિયાદ પરથી મોટરકાર ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 427 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. ડી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.

_________________________

ઓખાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો

ઓખામાં વાલ્મિકી વાસ ખાતે રહેતા મનીષ વીરજીભાઈ ચૌહાણ નામના 23 વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે ઝડપી લઈ, તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.

Tags :
BhanwadBhanwad newsgujaratgujarat newssuicide
Advertisement
Next Article
Advertisement