મોરબીની એલ.ઇ.કોલેજ નજીક થયેલા 44 દબાણો દૂર કરાયા
મોરબીમાં ફરી ડિમોલેશનની કામગી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે ગઈ કાલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાલુકા સેવા સદનમાં નોટરીઓના છાપરા દૂર કર્યા હતા. ત્યારે આજે એલ. ઈ. કોલેજ રોડ પર રેલ્વે તંત્રની હદમાં ખડકાયેલા 44 જેટલા દબાણો દુર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ લોકસભા ચૂંટણીની આચારસંહિતા હટતા જ તંત્ર જાગ્યું હોય તેવુ પ્રતિત થઈ રહ્યું છે ત્યારે ગઈ કાલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાલુકા સેવા સદનમાં નોટરીઓના છાપરા હટાવ્યા હતા. ત્યારે આજે રેલ્વે તંત્ર દ્વારા એલ.ઈ. કોલેજ રોડ પર રેલ્વેની હદમાં થયેલ 44 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં રેલ્વેના સિવિલ ડિપાર્ટમેન્ટના અધિકારી જણાવ્યું હતું કે રેલ્વેની જમીનમાં ડેવલોપમેન્ટ કરવાનું હોવાથી રેલ્વેની જમીનમાં કાચા છાપરા અને રેકડી વાળાઓએ દબાણ કર્યું હતું. જથી તેઓને ત્રણ દિવસ અગાઉ નોટીસો આપી હતી. જેમાંથી ઘણા દબાણકારોએ દબાણ હટાવી લીધા હતા. જે લોકોએ નહોતાં હટાવ્યા તેઓની રેલ્વે પોલીસને સાથે રાખી બુલડોઝર ફેરવી દીધું હતું અને દબાણ દુર કરવામાં આવ્યું હતું.