કેનેડામાં 28 વર્ષના ભારતીય યુવાનની ગોળી મારી હત્યા, પોલીસને ટારગેટ કિલિંગની આશંકા
કેનેડામાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. કેનેડાના સરેમાં ભારતીય યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.તે પંજાબના લુધિયાણાથી કેનેડા અભ્યાસ માટે આવ્યો હતો. પોલીસના જણાવ્યાનુસાર આ કોઈ ટારગેટ કિલિંગનો મામલો હોવાની આશંકા છે. મૃતક યુવકની ઓળખ યુવરાજ ગોયલ તરીકે થઈ છે.
કેનેડિયન પોલીસે જણાવ્યું કે યુવરાજ ગોયલ નામનો યુવક 7 જૂનના રોજ તેના ઘરે જ મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેને ગોળી મારી દેવાયાની જાણકારી અમને મળી હતી. યુવરાજ 2019માં પંજાબના લુધિયાણાથી કેનેડા ગયો હતો અને ત્યાં સરેમાં સેલ્સ એક્ઝિક્યૂટિવ તરીકે નોકરી કરતો હતો. સરે બ્રિટિશ કોલંબિયામાં આવેલ શહેર છે.
પોલીસે પાસેથી મળતી માહિતી અનુસાર યુવરાજને તાજેતરમાં જ કેનેડામાં કાયમી રહેવાશ માટેનો અધિકાર મળ્યો હતો. સરે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના અહેવાલ પ્રમાણે આ મામલે ચાર શકમંદોની અટકાયત કરાઈ છે. તેમની સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ મૂકાયો છે. આરોપીઓની ઓળખ મનવીર બસરામ(23), સાહિબ બસરા(20), હરકિરત ઝૂટ્ટી(23) તરીકે થઇ છે. આ તમામ લોકો સરેરના રહેવાશી છે જ્યારે ચોથો આરોપી ઓન્ટારિયોનો રહેવાશી છે જેની ઓળખ કિલિયોન ફ્રાન્સકોઈસ (20) તરીકે થઇ છે.