આવતી કાલે PM મોદી અયોધ્યામાં / રામનગરીને મળશે 16 હજાર કરોડની યોજનાઓની ભેટ, સભાને કરશે સંબોધિત
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે, શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન અયોધ્યામાં 'વિકાસના નવા યુગ'ની શરૂઆત સાબિત થશે. આ અવસર પર દેશને નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળવાની સાથે અયોધ્યાને 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ મળશે.
રામલલ્લાના અભિષેક પહેલા, વડાપ્રધાન મોદી તેમની મુલાકાત દરમિયાન અયોધ્યાને એરપોર્ટ, હાઈવે, રેલ્વે સ્ટેશન અને રેલ્વે લાઈનના ડબલીંગ સહિત અનેક મોટી યોજનાઓ ભેટમાં આપશે. જેમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર સાથે સંબંધિત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ચાર મુખ્ય રસ્તાઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓના કેટલાક પ્રોજેક્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યોગીએ મોદીની અયોધ્યા મુલાકાતને 'અવિસ્મરણીય ઘટના' બનાવવા સૂચના આપી છે.
તેના માટે, ગુરુવારે, તેમણે વરિષ્ઠ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી, દયાશંકર સિંહ, અયોધ્યાના મેયર સહિત સ્થાનિક વહીવટીતંત્ર સાથે વર્ચ્યુઅલ બેઠક યોજીને તૈયારીઓની સમીક્ષા કરી છે. વડાપ્રધાનના રોડ શો માટે નક્કી કરાયેલા રૂટ પર સુરક્ષા અને સ્વચ્છતાની સારી વ્યવસ્થા કરવા સૂચના આપતાં તેમણે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન સમગ્ર અયોધ્યા રામમય દેખાય. મઠો અને મંદિરોને શણગારવા. ભવ્ય તોરણો તૈયાર કરવા. સાંસ્કૃતિક જૂથો દ્વારા રસપ્રદ પ્રસ્તુતિઓ કરવી.
તેમણે કહ્યું કે, અયોધ્યાના લોકો પણ વડાપ્રધાનના સ્વાગત માટે ઉત્સુક છે, તેથી તેમને યોગ્ય જગ્યા આપો. વડાપ્રધાનનું ઋષિ-મુનિઓ દ્વારા પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવશે. તેમની સાથે વાતચીત કરો. આ રોડ શો જનતા માટે છે, તેથી જનતાની લાગણીનું સન્માન કરવું જોઈએ. રૂટ પર આવતી વાણિજ્યિક સંસ્થાઓ ખુલ્લી રહેવી જોઈએ. ઉદ્યોગપતિઓને તેમની સંસ્થાઓને સજાવવા માટે પ્રોત્સાહિત કરો.
સભાનું કરશે સંબોધન
સીએમએ કહ્યું કે, વડાપ્રધાન આ ખાસ અવસર પર જનસભાને સંબોધિત કરશે. સભામાં લગભગ 2 લાખ લોકોની ભીડ ઉમટી પડશે. તેથી, ભીડ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સભા સ્થળ અને અન્ય મહત્વના સ્થળોએ તબીબોને તૈનાત કરો. સુરક્ષાના કારણોસર એરિયલ સર્વેલન્સ પણ હોવું જોઈએ. CMએ ટ્રાફિક અંગે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
બે અમૃત ભારત અને છ વંદે ભારત ટ્રેનને બતાવશે લીલી ઝંડી
વડાપ્રધાન શનિવારે સવારે અયોધ્યામાં છ વંદે ભારત અને બે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. તેમાંથી અયોધ્યા-આનંદ બિહાર વંદે ભારત અને દિલ્હી-દરભંગા અમૃત ભારત ટ્રેનોને અયોધ્યા ધામ રેલવે સ્ટેશન અને અન્ય વર્ચ્યુઅલ માધ્યમથી ફ્લેગ ઓફ કરવામાં આવશે. પીએમ અયોધ્યા ધામ સ્ટેશન પર તૈયાર નવી ઇમારતનું ઉદ્ઘાટન પણ કરશે.
લોંચ કરવા માટે પ્રસ્તાવિત યોજનાઓ
1-મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ- 1463
2-અયોધ્યા-જગદીશપુર હાઇવે- 2185
3-જૌનપુર-બારાબંકી રેલ્વે લાઇન ડબલિંગ- 1919
4-મલહૌરથી ડાલીગંજ લાઇન ડબલિંગ અને ઇલેક્ટ્રિફિકેશન - 200
5-રામ પથ- 844.93
6-ભક્તપથ- 68.04
7-ધર્મ પથ - 65.40
8-NH-27 બાયપાસથી રામજન્મભૂમિ હાઇવે- 44.98
9-બાડી બુઆ રેલ્વે ઓવરબ્રિજ- 74.25
10-અયોધ્યા રેલ્વે સ્ટેશન પ્રથમ તબક્કો-241
11-રાજર્ષિ દશરથ મેડિકલ કોલેજ- 245.64
(કુલ 31 પ્રોજેક્ટ્સ સહિત).
શિલાન્યાસ માટે પ્રાસ્તાવિક પરિયોજનાઓ
1-ગ્રીન ફીલ્ડ ટાઉનશીપ- 2181
2-વશિષ્ઠ કુંજ નિવાસી યોજના- 300
3-ADA/મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ- 119
4-NH-27 (8 થી 121.6 કિમી) મજબૂતીકરણ અને સુધારણા – 297
5-NH-27 બાયપાસ (121.6 થી 144.02 કિમી) – 218
6-ગુપ્તરઘાટથી સરયૂના રાજઘાટ સુધી નવા ઘાટ અને બ્યુટિફિકેશન - 39.4
7-નયા ઘાટથી લક્ષ્મણ ઘાટ સુધી પ્રવાસી સુવિધાઓનો વિકાસ- 23.29
દીપોત્સવ માટે 8-ગેલેરી- 23.25
9-રામ કી પૈડી, રાજઘાટ, રામ મંદિર કોરિડોર- 22.83
10-ચાર ઐતિહાસિક દરવાજાઓના બ્યુટીફિકેશન અને અન્ય કામો- 15.18
11- CIPET (સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી)-39
અન્ય જિલ્લાઓમાં લોકાર્પણ માટે પ્રસ્તાવિક પરિયોજનાઓ
1-ગટર વ્યવસ્થાનું કામ ઉન્નાવ- 102
2-ટેનરી ક્લસ્ટર જાજમાઉ, કાનપુર- 617
3-130 MLD STP જાજમાઉ ઝોન- 967
4-ખુતાર-લખીમપુર સેક્શન બે લેન રોડ NH-730 (82-140 કિમી) 327
5-રૂમા-ચકેરી-ચંદારી રેલ્વે લાઇન 3- 182
6-ગોસાઈનું બજાર ફોર લેન બાયપાસ (ઘાઘરા બ્રિજથી વારાણસી)-2406.45
7-ત્રિશુંડી પ્રોજેક્ટ-160