For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોદીના ગઢમાં લોકસભાની ચૂંટણીનો બૂંગિયો ફૂંકશે નીતિશ

11:21 AM Dec 11, 2023 IST | Sejal barot
મોદીના ગઢમાં લોકસભાની ચૂંટણીનો બૂંગિયો ફૂંકશે નીતિશ

બિહાર સરકારમાં કેબિનેટ મંત્રી શ્રવણ કુમાર શનિવારે વારાણસી પહોંચ્યા હતા ત્યારે તેમણે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી નીતીશ કુમાર વારાણસીથી 2024ની લોકસભા ચૂંટણીમાં શંખનાદ કરી શકે છે. તેમણે કહ્યું કે વારાણસી, ફુલપુર, પ્રતાપગઢ અને જિલ્લાના લોકો ઈચ્છે છે કે નીતિશકુમાર ઉત્તર પ્રદેશથી લોકસભા ચૂંટણી લડે. આથી આગામી સમયમાં નીતીશ કુમાર વારાણસી અથવા આસપાસના જિલ્લાઓમાંથી ચૂંટણી લડી શકે છે. શ્રવણ કુમારે કહ્યું કે નીતિશ કુમારની વારાણસીની મુલાકાત 24મી ડિસેમ્બરે પ્રસ્તાવિત છે.
પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમાર રોહનિયા વિસ્તારમાં જનસભાને પણ સંબોધિત કરી શકે છે. વારાણસીમાં તેમના આગમનનો હેતુ સમજાવતા તેમણે કહ્યું કે તેઓ મુખ્યમંત્રીની મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરવા આવ્યા છે. તેમણે કહ્યું કે વારાણસી, પ્રતાપગઢ, ફુલપુર અને આસપાસના જિલ્લાઓની જનતાની માંગ પર નીતિશ કુમાર આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને કડક ટક્કર આપી શકે છે. તમને જણાવી દઈએ કે મંત્રી શ્રવણકુમાર મુખ્યમંત્રીના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. તેમણે ત્રણ રાજ્યોમાં ભાજપની જીત પર કટાક્ષ કર્યો.
મંત્રી શ્રવણ કુમારે કહ્યું કે કર્ણાટકમાં હારની જવાબદારી સ્થાનિક નેતાઓ પર નાખવામાં આવે છે. પરંતુ ત્રણ રાજ્યોમાં ભાજપની જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવી રહ્યો છે. આગામી લોકસભાની ચૂંટણીમાં જનતા નક્કી કરશે કે દેશના વડાપ્રધાન કોણ બનશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement