ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અભિષેક બચ્ચન, ઐશ્ર્વર્યા રાય સાથે છૂટાછેડા લેશે ?

10:58 AM Jun 19, 2025 IST | Bhumika
Advertisement

અભિષેક બચ્ચનની એક ખાસ પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. સામાન્ય રીતે અભિષેક બચ્ચન સોશિયલ મીડિયા પર વધુ સક્રિય રહેતા નથી પરંતુ આ વખતે તેમણે એક એવી પોસ્ટ શેર કરી છે જે તેમના ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. અભિષેકે પોતાના દિલની લાગણીઓ વ્યક્ત કરતી કેટલીક પંક્તિઓ લખી છે, જેના પરથી ચાહકો અલગ-અલગ અનુમાન લગાવી રહ્યા છે કે શું તે પોતાની લાગણીઓ શેર કરી રહ્યા છે કે પછી તેના આવનારા કોઈ ખાસ પ્રોજેક્ટનો સંકેત આપી રહ્યા છે.

Advertisement

અભિષેક બચ્ચનની પોસ્ટમાં તેમણે લખ્યું છે કે હું એક વાર માટે ગાયબ થઈ જવા માંગુ છું, હું ફરીથી ભીડમાં મારી જાતને શોધવા માંગુ છું. મારી પાસે જે કંઈ હતું, મેં તે બધું મારા પ્રિયજનોને આપી દીધું છે હવે હું ફક્ત મારા માટે થોડો સમય ઇચ્છું છું તેમના આ શબ્દો ચાહકોના દિલને સ્પર્શી ગયા છે અને ઘણા લોકો આ પોસ્ટ પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ચાહકોમાં કોઈએ લખ્યું કે આ શબ્દો ખુબ જ સાચા છે, તો કોઈએ લખ્યું કે અભિષેકને એકલા પ્રવાસ પર જવું જોઈએ. ઘણા ચાહકો તો અભિષેકની વાતને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે ક્યારેક પોતાને માટે સમય કાઢવો જરૂૂરી બની જાય છે.

Tags :
Abhishek Bachchan Aishwarya Rai newsAbhishek Bachchan divorce Aishwarya Raiindiaindia news
Advertisement
Next Article
Advertisement