For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સામંથા રૂથ પ્રભુ અને ચૈતન્યના છૂટાછેડાનું કારણ KTR કોંડા સુરેખા

01:02 PM Oct 03, 2024 IST | Bhumika
સામંથા રૂથ પ્રભુ અને ચૈતન્યના છૂટાછેડાનું કારણ ktr કોંડા સુરેખા
Advertisement

KTRએ અભિનેત્રીઓને ડ્રગ્સની લત લગાડયાનો પણ આરોપ

તેલંગાણા સરકારના મંત્રી કોંડા સુરેખાએ ટોલીવુડ અભિનેત્રી સામંથા રૂૂથ પ્રભુ અને અભિનેતા નાગા ચૈતન્યના છૂટાછેડાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે ભારત રાષ્ટ્ર સમિતિ (ઇછજ)ના કાર્યકારી પ્રમુખ કેટીઆર પર ગંભીર આરોપો લગાવ્યા અને કહ્યું કે સામંથા રૂૂથ પ્રભુ અને નાગા ચૈતન્યને અલગ કરવા પાછળ તેમનો હાથ છે.
બુધવારે મીડિયા સાથે વાત કરતા, તેલંગાણા સરકારના મંત્રી કોંડા સુરેખાએ કહ્યું, સામંથા રૂૂથ પ્રભુ અને નાગા ચૈતન્યના અલગ થવા પાછળનું કારણ KTR છે. KTRના પ્રભાવને કારણે ઘણી અભિનેત્રીઓએ ઉતાવળમાં લગ્ન કરી લીધા અને કેટલીક અભિનેત્રીઓએ પણ સિનેમા છોડી દીધું છે.

Advertisement

કોંડા સુરેખાએ કેટીઆર પર ડ્રગ્સને લઈને ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. તેણે કહ્યું, KTRએ ડ્રગ્સ લીધું, તેણે ઘણી અભિનેત્રીઓને ડ્રગ્સની લત બનાવી દીધી. એટલું જ નહીં, તેણે અંગત માહિતી મેળવવા માટે તેમના ફોન પણ ટેપ કર્યા. અભિનેતા નાગાર્જુને મંત્રી કોંડા સુરેખાના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, હું મંત્રી કોંડા સુરેખાની ટિપ્પણીઓની સખત નિંદા કરું છું. તમારા વિરોધીઓની ટીકા કરવા માટે રાજકારણથી દૂર રહેતા ફિલ્મ સ્ટાર્સના જીવનનો ઉપયોગ કરશો નહીં. કૃપા કરીને અન્ય લોકોની ગોપનીયતાનો આદર કરો. એક બેઠક મહિલા તરીકે જવાબદાર પોસ્ટમાં, તમારી અમારા પરિવાર વિરુદ્ધની ટિપ્પણીઓ અને આરોપો સંપૂર્ણપણે ખોટા છે, હું તમને તુરંત તમારું નિવેદન પાછું ખેંચવા વિનંતી કરું છું.

વર્ષ 2017માં ટોલીવુડ એક્ટર નાગા ચૈતન્યએ એક્ટ્રેસ સામંથા રૂૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા. જો કે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને વર્ષ 2021 માં બંનેએ છૂટાછેડા લીધા. આ વર્ષે અભિનેતા નાગા ચૈતન્યએ શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરી લીધી છે. તે જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement