રણબીરની રામાયણમાં કુણાલ કપૂર ઇન્દ્રદેવનો રોલ કરશે
માર્ચ-2024થી મુંબઇમાં શૂટિંગ ચાલે છે
રણીબર કપૂરની બિગ બજેટ ફિલ્મ રામાયણની ઓફિશિયલ રિલીઝ ડેટ હજુ એનાઉન્સમેન્ટ થઈ નથી. આમ છતાં, ફિલ્મની કાસ્ટ સહિતની સમગ્ર વિગતો સમયાંતરે આવ્યા કરે છે. દિવાળી અથવા દશેરા પર આ ફિલ્મ અંગે ઓફિશિયલ અપડેટ આવી શકે છે. તે પહેલાં રણબીરે ભગવાન રામના રોલમાં પોતાની સ્વીકૃતિ વધારવાના પ્રયાસ શરૂૂ કરી દીધી છે. રણબીરે ફિલ્મની રિલીઝ પૂર્વે સાવચેતીના સૂર રેલાવતા કહ્યું છે કે, તે છેલ્લા બે વર્ષથી ચુસ્ત સનાતની બન્યો છે. રણબીરના આશ્ચર્યજનક હૃદયપરિવર્તનની સાથે ફિલ્મની કાસ્ટમાં પણ વધારો થઈરહ્યો છે. ફિલ્મમાં ઈન્દ્રદેવના કેરેક્ટર માટે કુણાલ કપૂરની પસંદગી થઈ હોવાનું કહેવાય છે.
નીતેશ તિવારીના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં રણબીર કપૂરની સાથે સઈ પલ્લવી, યશ, સની દેઓલ મહત્ત્વના રોલમાં છે. માર્ચ 2024થી મુંબઈ ખાતે આ ફિલ્મનું શૂટિંગ શરૂૂ કર્યું છે અને એક સ્ટુડિયોમાં નોન સ્ટોપ શૂટ ચાલે છે. રામાયણને બે ભાગની ફિલ્મ બનાવવાનું આયોજન છે, જેમાંથી પહેલી ફિલ્મ 2024ના અંત સુધીમાં અને બીજી 2026માં રિલીઝ થઈ શકે છે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે ત્યારે કેટલાક દિવસથી કુણાલ કપૂર પણ તેમાં જોડાયો છે. કુણાલ કપૂરના ભાગે ઈન્દ્રદેવનો રોલ આવ્યો છે.