For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આ વર્ષે રક્ષાબંધન પર 90 વર્ષ બાદ બની રહ્યો છે શુભ સંયોગ, આ રાશિનાના લોકોનું ભાગ્ય ચમકશે

05:15 PM Aug 17, 2024 IST | Bhumika
આ વર્ષે રક્ષાબંધન પર 90 વર્ષ બાદ બની રહ્યો છે શુભ સંયોગ  આ રાશિનાના લોકોનું ભાગ્ય ચમકશે
Advertisement

આ વર્ષે રક્ષાબંધન પર ખૂબ જ ખાસ છે, કારણ કે રક્ષાબંધનના દિવસે ઘણા દુર્લભ સંયોગો બની રહ્યા છે, જે કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે રક્ષાબંધન પર એકસાથે 5 શુભ યોગ બની રહ્યા છે. આ વખતે રાખી પર રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિયોગ, સૌભાગ્ય યોગ અને શોભન યોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષના મતે આ રાશિઓ માટે રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ શુભ રહેવાનો છે.

શ્રાવણ નક્ષત્રનો સ્વામી ચંદ્ર છે, ચંદ્રનો સ્વામી શિવ છે. ખાસ વાત એ છે કે આ દિવસે શિવનો પ્રિય દિવસ, સાવન સોમવાર પણ આવે છે. આવી સ્થિતિમાં લોકો પણ શિવના આશીર્વાદ મેળવશે. 90 વર્ષ પછી રાખી પર આ શુભ સંયોગો બની રહ્યા છે.

Advertisement

ધન રાશિ

રક્ષાબંધન ધન રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવશે. ભૌતિક સુખમાં વધારો થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આ સમયગાળામાં રોકાણ ફાયદાકારક રહેશે. કામની પ્રશંસા થશે, આવકના સ્ત્રોત વધશે.

મેષ રાશિ
મેષ રાશિના જાતકોને રક્ષાબંધનનો તહેવાર તમામ ખુશીઓ પ્રદાન કરશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. ભાઈ-બહેન ભોલેનાથના આશીર્વાદ મેળવશે. નોકરીમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે.

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને રક્ષાબંધન પર આર્થિક લાભ થવાની સંભાવના છે. વ્યાપાર વિસ્તરશે, નવા સોદા ફાઈનલ થઈ શકે છે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારી સફળતા મળશે.

મીન રાશિ
મીન રાશિના લોકો માટે રક્ષાબંધન ખૂબ જ ભાગ્યશાળી રહેશે. જીવનસાથી સાથેના સંબંધો સુધરશે. મહાદેવની કૃપાની સાથે સાથે દેવી લક્ષ્મીની પણ કૃપા રહેશે. કેટલાક જૂના રોકાણ અથવા વારસાગત મિલકતમાંથી તમને લાભ મળી શકે છે. કમાણીનો વ્યાપ વધશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement